મળ્યો મનુષ્ય અવતાર દિલમાં રે વિચાર જો.. (કીર્તન નીચે લખેલ છે 👇👇) ગુરુકૃપા કીર્તન#
ฝัง
- เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
- =====કીર્તન=====
મળ્યો માનવનો અવતાર દિલ માં રે વિચારજો
જો જો એળે નવ જાય દિલ માં રે વિચારજો
જામીન આપ્યા છે તમને ગર્ભની જેલમાં
ભાવે ભજવાના ભગવાન દિલ માં રે વિચારજો
બહાર આવીને તું તો ભૂલ્યો ભગવાનને
લાગી તને માયાની લાત દિલ માં રે વિચારજો
માતા પિતા સુત બાંધવને બેનડી
સગા વ્હાલા કેવાના હોય દિલ માં રે વિચારજો
મારું મારું રે કરીને લેતો તું છાજિયાં
તારું નથી રે તલભાર દિલ માં રે વિચારજો
કહે પુરુષોત્તમ ચેતી જા જીવડાં
પલ એક લાખોની જાય દિલ માં રે વિચારજો
મળ્યો માનવનો અવતાર દિલ માં રે વિચારજો
જો જો એળે નવ જાય દિલ માં રે વિચારજો
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સરસ ભજન ગાયુના❤❤❤
ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા માટે 🙏🙏