આપણી કવિતા આપણા માટે - મણકો..૯
ฝัง
- เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
- ભારતીય સમુદાય શિક્ષણ સંઘ દ્વારા આયોજિત ‘આપણી કવિતા આપણા માટે’ મણકા-૯ માં મેઘાણીની પ્રસિધ્ધ કવિતા “ઘણ રે બોલે ને એરણ સાંભળે હો..જી”..જેમાં સ્વર આપ્યો છે પૂજ્ય સ્વ. ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયે. આ કવિતામાં એક આદર્શ અને નીવડેલા શિક્ષકનો વિદ્યાર્થીઓ સાથેનો લગાવ ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત થાય છે. તેમની આયુનાં ૧૦૦ વર્ષ પૂરા થાય છે ત્યારે સંસ્થાની અનેક શિબિરોમાં વિદ્યાર્થી સાથે ગુજરાતી સાહિત્યની નવલકથાઓની ચર્ચાઓ, મહાત્મા ગાંધીજી વિશેની વાતો અને અમારા સામયિક યાત્રાપથમાં જોડણી સુધારતાં અનેક દ્રશ્યો આંખ સમક્ષ આવે છે. કોઈ સાચા શિક્ષકને વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં જોવા હોય અને મેઘાણીની અપ્રતિમ કૃતિ સુંદર સ્વરોમાં સાંભળવી હોય તો આ મણકો સાંભળો અને રસ ધરાવતાં લોકોને પણ સંભળાવો.
અમારી યુટ્યુબ ચેનલ પર અગાઉ મૂકેલ કવિતા જોવા માટે @iscehouse
મણકો - ૪ - ઓ હિંદ દેવભૂમિ સંતાન સૌ... • "આપણી કવિતા આપણા માટે"...
મણકો - ૫ - વીજળીને ચમકારે ... • "આપણી કવિતા આપણા માટે"...
મણકો - ૬ - રામ રાખે તેમ રહીએ .... • આપણી કવિતા આપણા માટે -...
મણકો - ૭ - ઊંટ કહે આ સમામાં ..... • આપણી કવિતા આપણા માટે -...
• ભારતીય સમુદાય શિક્ષણ સ...
ખૂબ સરસ..👍👍👍
ગૂજરાત વિધ્યાપીઠના મારા સૌથી વ્હાલા એવા પૂજ્ય શ્રી ચંન્દ્રકાન્તભાઈ ઉપાધ્યાય 100મી જન્મજયંતિ શતશત વંદન....🎉
વડીલ શ્રી ના અવાજ માં લવન્યાતા છે અદભુત માગણી જી ની રચના રોમ રોમ માં પ્રેમ કરુણા સ્વતંત્રતા જગાડે ગુડ
પૂજ્ય શ્રી ચંન્દ્રકાન્તભાઈ ઉપાધ્યાય 100મી જન્મજયંતિએ કોટી કોટી વંદન....
👍🏾ઘણા વરસે પૂ.ચંદ્રકાંતભાઇનો અવાજ સાંભળવા મળ્યો.🙏🏿
અમારા સમયના શાતાકલોઝ❤. કુમાર વિનય મંદિર, ગુજરાત વિદ્યાપીઠના એ શાળામાં સંસ્કારનું સિંચન કર્યુ. અમો સૌ બાળ માનસના સર્વોત્તમ વિકાસ માટે એમણે એમનું લોહી રેડયું. ગાંધી વિચારસણીના આ ભેખધારી સંતને સત સત નમન.🙏🙏
આ ગીતના શબ્દો એમના જીવનચરિત્રનું યથાર્થ રજુ થાય છે.
એકવાર રૂબરૂમાં પૂજ્ય ચંદ્રકાંતભાઈ ના અવાજ માં આ કવિતા સાંભળવાનો અવસર સાપડેલો છે...જેમ દલપતભાઇ ના અવાજ માં અમને કોની રે સગાયું આજ સાંભરે.... એ સાંભળીને આનંદ થાય એટલો આનંદ આજે આ સાંભળીને થયો ખૂબ સરસ..અને મર્મ વિગતે આજે સમજાયો...
Khub saras! Pujya Chandrakantbhai na avaj thi Zavechand meghani jivant thaya! 🙏🙏🙏
સુંદર,,
અતિ સુન્દર્ ગાયન અને વિવેચન્. પૂજ્ય ચંદ્રકાન્તભાઈ ને શત શત વંદન.
પૂજ્ય ચંદ્રકાંતભાઈ ને રૂબરુ સાંભળવાનો કદી અવસર ન હતો મળ્યો. અહીં તેમની રજૂઆત સાંભળીને તેમનાં વિષે જે ઉત્તમ શિક્ષકની વાતો કાને પડેલી તેની આજે પ્રત્યક્ષ અનુભૂતિ થઈ 🙏
લખનાર લખી ગયા ગાનાર ગાય ગયા પણ દિલમા વસિગયા 🎉❤