*સીંગવડ ના ભક્તો દ્વારા ત્રીજી વખત કાવડ યાત્રા કાઢવામાં આવી.*

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • સીંગવડ ના ભક્તો દ્વારા ત્રીજી વખત કાવડ યાત્રા કાઢવામાં આવી.
    દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ના ભક્તો દ્વારા ત્રીજી વખત આજે પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે સિંગવડ થી અંદાજિત 14 કિલોમીટર દૂર આવેલ મોટીબાંડીબાર ગામના ત્રિલોકનાથ મહાદેવ મંદિર ત્રિવેણી સંગમથી 125 કાવડ લઈ કાવડ યાત્રા કાઢવામાં આવી હતી. આ કાવડયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિર મોટીબાંડીબાર થી જળ લઈને રત્નેશ્વર મહાદેવ મંદિર સિંગવડ ખાતે જળાભિષેક કરવામાં આવ્યો હતો. કાવડ યાત્રા દરમિયાન સિંગવડ ગામના મુસ્લિમ સમાજ દ્વારા ફરાળી પેકેટનું વિતરણ કરાયું હતું. આ કાવડ યાત્રામાં અંદાજિત કુલ 500 વ્યક્તિઓ જોડાયા હતા.
    યુવા પડકાર ન્યુઝ સિંગવડ, દાહોદ
    ડૉ. નિલેશ સેલોત

ความคิดเห็น •