કોઈ કવિની કવિતા રેશનકાર્ડમાં છપાય એવું બને ? l | Ramesh Tanna | Special Story | Navi Savar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • મહારાષ્ટ્રમાં એવું બનેલું છે જે મરાઠી ભાષાના વિખ્યાત કવિ છે તેમની કવિતા એક વખત રેશનકાર્ડમાં પ્રકાશિત થઈ હતી. મરાઠી પ્રજાનો સર્જકો માટેનો પ્રેમ ખરેખર ઉચ્ચકોટિનો છે સર્જકો તેમના માટે ભગવાન છે નવી મુંબઈમાં હમણાં એક એવી ઘટના બની છે નવાઈ પ્રમાણે તેવી છે નારાયણ સુરવે નામના મરાઠી કવિ અને લેખકનું તો 2010 માં અવસાન થયેલું પણ તેમની દીકરી ના ઘરે એક ચોર ચોરી કરી ગયો પછી ખબર પડી ચોરને કે આ તો કવિનું ઘર છે એટલે બીજા દિવસે એ કોઈને ખબર ન પડે એ રીતે એલઇડી ટીવી પાછું આવી ગયો અને જોડે એક ચિઠ્ઠી પણ લખી આવું કદાચ બીજે ક્યાંય ન બને જે પ્રજાના ચોરમાં ગુનેગારોમાં પણ સર્જકો માટે આટલી બધી આદર હોય તે કેટલી મોટી વાત કહેવાય અમે આ વીડિયોમાં મહારાષ્ટ્રીયન પ્રજાનો તેમના સર્જકો માટેનો ઉચ્ચકોટિનો જે પ્રેમ છે તેની ઉદાહરણો આપીને વાત કરી છે અમને આ વિડીયો બનાવવામાં ઇનપુટ આપવામાં અરુણાબેન જાડેજા કવિ શ્રીઓ અંકિત ત્રિવેદી મુકેશ જોશી હરદ્વાર ગૌસ્વામી તથા પત્રકાર અજીત પોપટે સહયોગ કર્યો છે તે માટે તેમનો આભાર માનીએ છીએ
    પૉઝિટિવ સ્ટોરીઝ’ એ અભિયાન છે સમાજમાં જેટલું પણ, જ્યાં પણ સારું થઇ રહ્યું છે એને લોકો સુધી પહોંચાડવાનું.
    લેખક અને પત્રકાર રમેશ તન્નાએ સમાજમાં ફરી ફરીને આવી આપણી આસપાસની પૉઝિટિવ સ્ટોરીઝ શોધી અને એ સ્ટોરીઝના દસ પુસ્તકો થયાં. પુસ્તક વિશેની વધારે વિગત માટે નીચેની લિંક પર ક્લિક કરવાથી મળશે.
    લિંક: drive.google.c...
    પૉઝિટિવ સ્ટોરીઝ શ્રેણીનાં દસ પુસ્તકો ઘરે બેઠાં મેળવવા WhatsApp કરો: 88496 09083
    Video shot and edited by: Tushar Leuva
    લેખકનો પરિચય: રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે.
    પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું. 1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે. તેની 55,000 પ્રતનું વેચાણ થયું છે.
    Facebook: / ramesh.tanna.5
    #PositiveStorieswithRameshTanna #RameshTanna #navisavar
    © All rights reserved with RAA Positive Media Private Limited 2024

ความคิดเห็น • 5

  • @rajshreechitale5154
    @rajshreechitale5154 2 หลายเดือนก่อน

    फार छान दादा...प्रणाम तुम्हाला...आभार

    • @navisavar
      @navisavar  2 หลายเดือนก่อน

      આપનો ખૂબ ખૂબ આભાર રાજશ્રીબહેન

  • @JAGDISHBHAIRathvi
    @JAGDISHBHAIRathvi 2 หลายเดือนก่อน

    વાહ, ચોરનાર ના ચિત્તને ચોટ પહોંચાડનાર વાત..વાહ

  • @arunajadeja9324
    @arunajadeja9324 2 หลายเดือนก่อน

    નમસ્તે. ધન્યવાદ.

    • @navisavar
      @navisavar  2 หลายเดือนก่อน

      નમસ્તે.. વંદન આપને તાઈ.