34th Thursday's thought full program: વિચારો નું વાવેતર ll SPSS ll Surat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • "જીંદગી જંગ નહિ પણ સફર છે તેને વિસ્મયતાથી માણો.."-૩૪ મો થર્સ-ડે થોટ્સ
    " જીવનમાં કંઇક મેળવવા માટે કંઇક છોડવુ પડે."- નિતીન સાવલિયા, પૂર્વ ડે. કલેકટર
    વર્તમાન સમયે માનસીક તણાવ અને ડીપ્રેશનમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોને નવો વિચાર આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે જમનાબા ભવન ખાતે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું નિયમિત આયોજન થાય છે. ગુરુવારના ૩૪માં વિચારના વાવેતર કાર્યક્રમમાં “જીંદગી જંગ નહી પણ સફર છે તેને વિસ્મયતાથી માણવી જોઈએ”. તેવો વિચાર આપતા વધુમાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતુ કે, આર્થીક પારિવારીક અને આરોગ્યના પ્રશ્નો માણસ સામે મોટા પડકારો છે. લોકો માનસિક રીતે વધુ થાકેલ હોય તેવું લાગે છે. ડીપ્રેશનના કારણે લોકો આત્મહત્યા કે સામુહિક આત્મહત્યા કરે છે તે ચિંતાજનક છે, માણસ પ્રશ્નો સામે જંગ લડે છે. અને થાકે ત્યારે નિરાશ થાય છે. મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનમાં પખવાડીયામાં ૨૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે. આ બાબતની ચિંતા વ્યક્ત કરી માનસિક તણાવને રોકવા અપીલ કરવામાં આવી હતી.
    દાતા ટ્રસ્ટીશ્રી અને અનમોલ ગ્રુપના શ્રી બાબુભાઈ રાદડિયાએ આગળના વિચારને યાદ કરતા જણાવ્યું હતું કે, નાણાકીય આયોજન ઉપરાંત કમાણી સાથે સદભાવના વધે તો જ જીવન સાર્થક થાય છે. ટીમ-૧૦૦ ના શ્રી હાર્દિકભાઈ ચાંચડ સહીત સભ્યો થર્સ-ડે થોટ્સનું સુંદર આયોજન અને સંચાલન કરી રહ્યા છે.
    || દરરોજ ૧ વ્યક્તિને હસાવવા આપ્યું ટાસ્ક ||
    વિચારોના વાવેતર કાર્યક્રમમાં યુવાનોને ટાસ્ક આપતા જણાવ્યું આવ્યું હતું કે, દરરોજ ઓછામાં ઓછા એક વ્યક્તિને હસાવવા અને સાંજે દિવસના સારા ૧૦ અનુભવો લખવાની ટેવ પાડવાનું કહ્યું હતું, તેનાથી નકારાત્મક વાતાવરણ દુર થશે. કોઈની પ્રશંસા કરવાથી વધુ ફાયદો આપણ ને જ થાય છે. તેની નોંધ સાથે હકારાત્મક વિચારો કેળવવા દિશા આપવામાં આવી હતી.
    || નવા દાતાટ્રસ્ટીનું અભિવાદન ||
    જમનાબા ભવન નિર્માણ કાર્યમાં દાતાશ્રીઓ તરફથી માતબર દાનના સંકલ્પો થયા છે. થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં ગુરુવારે નિકસન ટેકનોલોજીના ફાઉન્ડર ડૉ. સંજયભાઈ વશરામભાઈ રાજાણી એ દાતાટ્રસ્ટી બનવા સંકલ્પ કરતા તેનું અભિવાદન કરવામાં આબ્યું હતું. ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે ભવન, અતિથીગૃહ, પાટીદાર ગેલેરી, કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ અને અનેકવિધ સુવિધાઓનું નિર્માણકાર્ય શરૂ છે તેની સાથે લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે.
    || ૬૬મો સમુહલગ્ન સમારોહ ખર્ચનું સૌજન્ય શ્રી રમેશભાઈ ગજેરા તરફથી ||
    શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૨૫/૦૨/૨૦૨૪ ના રોજ ૬૫માં સમુહલગ્ન સમારોહનું આયોજન છે. તેનું સંપૂર્ણ સૌજન્ય એસ.આર.કે ના શ્રી જયંતીભાઈ વી. નારોલા પરિવાર તરફથી છે. હવે, ૨૦૨૫ માં યોજાનાર ૬૬માં સમૂહલગ્ન સમારોહનું સંપૂર્ણ સૌજન્ય ભક્તિ ઇન્ટરનેશનલ ગ્રુપના શ્રી રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા (જામકંડોરણા) પરિવાર તરફથી જાહેરાત થઈ છે. તથા જમનાબા ભવન નિર્માણ કાર્યમાં માતબર દાન આપવાના સંકલ્પ બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું, બે વર્ષ એડવાન્સમાં દાન નોંધાવનાર રમેશભાઈ ગજેરા તથા અલ્પેશભાઈનું ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક તથા દાતાટ્રસ્ટી ભીમજીભાઈ પરણાવાળા, શ્રી હરિભાઈ કથીરીયા અને શ્રી ભવાનભાઈ નવાપરા એ અભિવાદન કરી શુભેચ્છા પાઠવી હતી.
    #thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
    *******************************************************************
    ❋ Instagram : / spss_surat
    ❋ Facebook : / shreesaurashtrapatelse...
    ❋ LinkdIn : / shree-saurashtra-patel...
    ❋ Twitter : / official_spss
    ❋ TH-cam : / @spss_surat
    ❋Website : www.spsamaj.org/
    ☎ For more info. Ph. +91 99091 88222

ความคิดเห็น • 4

  • @lavjibhainakrani
    @lavjibhainakrani 10 หลายเดือนก่อน +3

    દર ગુરુવાર મઝાનો ગુરુવાર બની રહ્યો છે..જીવનમાં જેટલું શીખીએ એટલું ઓછું છે.વિચારોના વાવેતરના પ્રણેતા અને યુવા ટીમ સહિત સૌરાષ્ટ્ર પટેલ સમાજને ખૂબ અભિનંદન અને આભાર

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 6 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ ખુબ સુંદર

  • @vbv1965
    @vbv1965 10 หลายเดือนก่อน +2

    Congratulations

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 10 หลายเดือนก่อน

    સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ સુરત દ્વારા આયોજિત વિચારોનું વાવેતર પ્રોગ્રામમાં સૌનું સ્વાગત સાથે સૌ સાથે મલીને સુવિચારોનુ આચરણ કરીએ અને સત્સંગ, સદવાચન અને સત્કાર્ય દ્વારા ભગવાન રાજી થાય અને આપણુ જીવન ધન્ય બને સાથે દુખીના આંસુ લૂછીને તેને પણ ખુશ રાખવા તનમનધનથી ફૂલ નહી તો ફુલની પાંખડી સાથ અને સહકાર આપીએ એજ પાર્થના જયસરીકૃષણ અસ્તુ જય હિનદ વંદન માતરમ્.