પોરબંદર ના સત્યનારાયણ મંદિરે નંદ ઉત્સવ ની ભવ્ય ઉજવણી કરાઈ
ฝัง
- เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
- પોરબંદરના સુપ્રસિધ્ધ સત્યનારાયણ ભગવાનના મંદિરે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રીનાથજી સત્સંગ મંડળના સથવારે રાસગરબા સાથે મટકીફોડ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
સત્યનારાયણ મંદિરે શ્રીનાથજી સત્સંગ મંડળના વિશાલભાઈ રાજ્યગુરૂના સથવારે, ભકતજનોની બહોળી સંખ્યામાં રાસગરબા સાથે 'મટકી ફોડ’નો ઉત્સવ હર્ષઉલ્લાસ સાથે ઉજવવામાં આવેલ હતો અને બધાએ આનંદ માણ્યો હતો. આ ઉત્સવમાં સહભાગી થવા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિત અનેક મહાનુભાવો અને મહેમાનોએ પણ આ ઉત્સવમાં ભાગ લઇ ધન્યતા અનુભવી હતી.આ સમગ્ર ‘નંદ મહોત્સવ”નું આયોજન મંદિરના ટ્રસ્ટી શીલાબેન ભરતભાઈ માખેચાના માર્ગદર્શનથી કરવામાં આવ્યુ હતું.જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા અને આયોજકોને આ પ્રકારના સુંદર આયોજન બદલ બિરદાવ્યા હતા.ઉલ્લેખનીય છે કે સત્યનારાયણ મંદિર ખાતે અવારનવાર વિવિધ ઉત્સવો ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે
જય શ્રીકૃષ્ણ
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Wah wah khub khub mojkriho